વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવાનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ તા ૧૪-૧૨-૨૦૨૨ થી ૨૦-૧૨-૨૦૨૨ સુધી ઊર્જા સપ્તાહ ની ઉજવણી કરી રહ્યું છે જે અંતર્ગત તા ૨૦-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં સલામતી અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા અને અવગત કરાવવા પીજીવીસીએલ મોરબી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૦૯:૩૦ કલાકે આ રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડ થી ગેંડા સર્કલ થી મયુર પુલ થી નગર દરવાજા થી રવાપર રોડ થી નવા બસ સ્ટેન્ડ થી ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલએ પૂર્ણ થશે તેવું વર્તુળ કચેરી મોરબી, અધિક્ષક ઇજનેરશ્રી બી.આર. વડાવીયાની યાદીમાં જણાવાયું છે.