અકસ્માતમા બાઈક ચાલક અને બાઈક પર સવાર બંને નાં મૃત્યુ નિપજયા હતા.
કેસની ટુંકમાં હકીકત એવી કે ગત તા.૩૦-૦૪-૨૦૨૦ નાં રોજ ગુજરનાર ઈરફાન તથા ગુજરનાર હુશેનાબાનું રાજકોટ થી સિંધાવાદર મો.સા. લઈને જતા હતા ત્યારે સિંધાવદર પાસે ઇકો કાર ચાલકે પોતાની ઇકો કાર પૂરઝડપે અને બેફિકરાઈ થી માણસની ઝીંદગી જોખમાય તે રીતે ચલાવી મરણજનારાઓને સામેથી મો.સા.સહિત અડફેટે લેતા મરણજનાર ઇરફાન માથાના ભાગે તથા બંને હાથે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ તથા ગુજરનાર હુશેનાબાનુંને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી બંનેના મોત નીપજાવી અકસ્માત કરી પોતાના હવાલાવાળી ઇકો કાર મૂકી નાશી ગયેલ.
જે કામે ફરિયાદી માહમદહુશેન ભાઈ એ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલ જે કામે પોલીસ અધિકારી દ્વારા લાગતા વળગતા સાહેદોના નિવેદન લીધેલા અને આરોપી સંજય ડાયાભાઈ વાઘેલાની અટક કરી અને તપાસના અંતે નામદાર કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરેલ.
જે કેસ નામદાર શ્રી એડી.ચીફ જયુ. મેજી. સાહેબ શ્રી ડી.એમ.શાહ સાહેબની કોર્ટમાં ચાલી જતા. ફરિયાદ પક્ષે લાગતા વળગતા સાહેદોની જુબાની લીધેલ અને આરોપીના એડવોકેટ એસ.એમ.શેરસિયા દ્વારા ધારદાર દલીલો કરવામાં આવેલ કે ફરિયાદપક્ષ આરોપી સામેનો કેસ નિઃશંકપણે સાબિત કરી શકેલ નથી જે બાબતેમાં નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજૂ રાખેલ જેથી નામદાર અદાલતે આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ.
જે કામે આરોપી સંજય ડાયાભાઈ વાઘેલા વતી વાંકાનેર મુસ્કાન એસોસીએટસ નાં એડવોકેટ યુવા ધારાશાસ્ત્રી શ્રી શિરાકમુદીન એમ. શેરાસિયા, આદિલ એ. માથકીયા તથા મોહંમદયુનુસ યુ. બાદી રોકાયેલ હતા.