નેશનલ હાઇવેથી હળવદ રોડ પર, મહેન્દ્રનગર ચોકડી પર, બની રહેલા ફ્લાય ઓવરમાં, જે તે વખતે વાહન વ્યવહાર માટે 35 મીટરના ચાર ગાળા મંજૂર કરવામાં આવેલ હતા. જેતપર રોડ પર વધતા જતા ઔદ્યોગિકરણ અને ટ્રાફિકને ધ્યાનમાં લેતા વધારાના આવા ખુલ્લા અન્ય ચાર ગાળાની જરૂરિયાતને લક્ષમાં લેતા ધારાસભ્યaએ સરકારશમાં રજૂઆત કરેલ.
વાહન વ્યવહારની સરળતા માટે તથા પાર્કિંગ સમસ્યા હળવી કરવા માટે સરકાર દ્વારા 35 મીટરના વધારાના ચાર ગાળા બનાવવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. જેથી હવે 35 મીટરના કુલ આઠ ગાળા ખુલ્લા રહેશે.
આ માટે બનેલી નવી ડિઝાઈનના ફ્લાય ઓવરના ખર્ચમાં રૂ 9.00 કરોડનો વધારાનો આર્થિક બોજ પડે છે અને આ કામ માર્ચ 2025 માં પૂર્ણ થશે, એટલા પૂરતી પ્રજાને હાલાકી પડશે… પરંતુ આવા ફ્લાય ઓવર વારંવાર બનતા નથી અને આવી સુવિધા પાછળથી ઉપલબ્ધ થઈ શકે નહીં, એટલે લાંબા ગાળાના હિતને ધ્યાનમાં લેતા થોડા સમય માટે આ તકલીફ સહન કરવા મોરબીની જનતા પાસે સહકાર ઈચ્છીએ છીએ.
સરકારમાં જથ્થા વધારાની દરખાસ્ત મંજૂર થઈ આ કામ ચાલુ કરવામાં આવશે જે વિદિત થાય