Tuesday, May 20, 2025

એક બંધન એસા ભી : મોરબીમાં પોલીસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોની સલામતી માટે બાંધ્યું રક્ષા સૂત્ર

Advertisement
Advertisement
Advertisement

આજરોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા લોકો હેલમેટ પહેરે તે માટે અનોખી ઝુંબેશ ચાલવી હતી.

જો લોકો ટ્રાફિકના નિયમોનું ખુદ જ પાલન કરે તો તેની સલામતી અને ખાસ તો તેની ઘરે રાહ જોતો પરિવાર સુખી રહે, પણ લોકો ટ્રાફિકનું પાલન કરતા ન હોય અને ખાસ તો હેલ્મેટ પહેરતા જ ન હોય એટલે તેમની સલામતી ખાતર પોલીસે આજે એક અનોખું રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. જેમાં હેલમેટ વગર નીકળતા લોકોને રક્ષકવચ બાંધીને હેલ્મેટ પહેરવા સમજાવ્યા હતા અને માનવ જિંદગી કેટલી મૂલ્યવાન છે ખાસ તો તેમની જિંદગી તેમની પોતાની નહિ પણ પરિવારની હોય તેવું સમજાવીને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW