Sunday, March 16, 2025

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતો મોરબી નો છગ પરિવાર

Advertisement

*શ્રી જલારામ મંદિર ખાતે વૃધ્ધાશ્રમ ના વડીલો સાથે કેક કટીંગ તેમજ મહાપ્રસાદ યોજી જન્મદીન ની સાર્થક ઉજવણી.*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના હીરેનભાઈ છગ દ્વારા તેમના પુત્ર વંશ ના પ્રથમ જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી. વૃધ્ધાશ્રમ ના વડીલો ની સાથે કેક કટીંગ કરી, મહાપ્રસાદ યોજી જન્મદીન ની સાર્થક ઉજવણી કરવા માં આવી હતી. આ તકે કમલેશભાઈ જયંતિભાઈ છગ, મીનાબેન છગ, કૌશિકભાઈ છગ, મહેકબેન છગ, હિરેનભાઈ છગ, શિતલબેન છગ, દિયાબેન છગ, વિશ્વાબેન છગ, ધાર્મિબેન છગ, મિતેશભાઈ કાથરાણી, પુજાબેન કાથરાણી સહીત ના સભ્યોએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
પ્રવર્તમાન સમયે લોકો પોતાના સંતાનો ના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના હિરેન ભાઈ છગ પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW