Saturday, March 15, 2025

મોરબી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન બેઠક જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યઓની ઉપસ્થિતિ યોજાઈ

Advertisement

દરેક અધિકારી/કર્મચારી લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરે
– જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી

પદાધિકારીઓના પ્રશ્નો અંગે છણાવટ કરી લોકહિતના વિવિધ પ્રશ્નો અંગે સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સબંધિત વિભાગોને તાકીદ કરાઈ

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ દાખવી કામગીરી કરવા સૂચિત કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં કલેક્ટએ વહીવટી તંત્રની વિવિધ કચેરીઓના પેન્શન કેસ તથા સંકલન સહ ફરિયાદ સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરી દરેક કચેરીમાં કામગીરીમાં નિયમિતતા જળવાય અને કચેરી વ્યવસ્થાપન અને દરેક રજીસ્ટરની નિભાવણી યોગ્ય રીતે થાય તે માટે સૂચના આપી હતી. કલેક્ટરએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દરેક અધિકારી/કર્મચારી દ્વારા લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરવી જોઈએ.

જિલ્લાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મચ્છુ -૨ ડેમના દરવાજા રીપેર કરવા માટેનું પૂર્વ આયોજનની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પદાધિકારીઓ દ્વારા ૯ જેટલા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રશ્નો અંગે વિગતવાર ણાવટ કરી

પદાધિકારીઓને સંતોષપૂર્વક જવાબ આપી સબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કામગીરી કરવા કલેક્ટરએ તાકીદ કરી હતી.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW