મોરબીના ધરમપુર ગામમાં ઓના શરતી જામીન મંજર.પત્નીને આત્મહત્યા કરવા મજબુર કરવાના ગુન્હાના આરોપીઓ મરણજનારના સસરા માધુભાઈ લાખાભાઈ ઉપસરીયા તથા મરણજનારના સાસુ લવીંગાબેન માધુભાઈ ઉપસરીયાના ઓના શરતી જામીન મંજૂર
મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીની બહેનને આ કામના આરોપીઓએ ફરીયાદીની બહેન મરણજનાર ને નાની નાની વાતમાં વાંક કાઢી માર મારી માનસીક તથા શારીરીક દુખ ત્રાસ આપી ઝધડો કરેલ હોય તેમજ આરોપી નં. ૧ નાએ લાકડાના ધોકાથી માર મારેલ હોય તેમજ આરોપી નં. ૨ તથા ૩ નાઓ નાની નની વાતમાં મેણા ટોણાં મારી માનસીક તથા શારીરીક દુખ ત્રાસ આપતા હોય અને મરણજનાર ફરીયાદીની બહેન સાથે ઝધડો કરતા હોય અને આ કામના આરોપીઓ મરણજનારને અવારનવાર માનસીક તથા શારીરીક દુખ ત્રાસ આપી મરણ જવા મજબુર કરતા મરણજનારે તેના ધરે ગળે ફાંસો ખાઈ લેતાં મરણ જતાં બધા આરોપીઓએ સદરહુ ગુનાહીત કૃત્ય કરવામાં એકબીજાને મદદગારી કરતા, તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ ની કલમ-૧૦૮,૫૪,૮૫,૧૧૫(૨) તથા જી.પી. એકટની કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપી મરણજનારના સસરા માધુભાઈ લાખાભાઈ ઉપસરીયા તથા મરણજનારના સાસુ લવીંગાબેન માધુભાઈ ઉપસરીયાનાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપીઓ તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા..