મોરબી જિલ્લામાં અત્યારે “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫” અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વિવિધ ધાર્મિક સ્થળો જેવા કે ગાયત્રી મંદિર, રફાળેશ્વર મહાદેવ મંદિર, જીવીપી પોઈન્ટ, જાહેર શૌચાલયોમાં સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.