(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી જિલ્લામાં એક પછી એક જમીન કૌભાંડો ખુલી રહ્યા છે અને ખેડૂતોની કરોડોની જમીન બારોબાર વેચી કૌભાંડીયા રાતોરાત કરોડપતિ બની જવા આતુર બન્યા હોય તેવો ઘાટ સર્જાયો છે તેવામાં મોરબીના નવાગામના ખેડૂતની સોનાના લગડી જેવી કીંમતી જમીન પચાવી પાડવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના નવાગામ (લગધીરનગર)ના ખેડૂત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજા ઉ.વ.૭૧ની ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાના મોજે જાસપુર ગામના રેવન્યુ સર્વે એનએમ.૨૫૨ જેની ૧૬૧ કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા ડો.કનૈયાલાલ સુદરજી દેત્રોજા (એમ.ડી.GLDC) તથા તેનો દીકરો વિશ્વાસ દેત્રોજા તથા ગુરુકૃપા હોટલના ભાગીદાર ઉપેન્દ્ર ભાગવાનજી કસુંદ્રા તથા આર.ડી.સી.બેન્ક ગ્રામ્ય શાખા મોરબીના કર્મચારીઓએ પૂર્વ આયોજિત ષડયંત્ર કરીને એકબીજા સાથે મેળાપણું કરીને બોગસ અને બનાવટી ડૉક્યુમેન્ટને સાચા તરીકે રજૂ કરીને ખોટી સમજ આપીને પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાની કીમતી જમીનના રેકર્ડમાં પોતાનું નામ દાખલ કરાવી નાખેલ તથા અવેજની રકમ રૂ.૧,૬૧,૦૦,૦૦૦ (એક કરોડ એકસઠ લાખ)નું ટ્રાન્જેકશન દેખાડવા ખાતા ધારકની જાણ વિના બારોબાર બેન્ક કર્મચારીની મદદથી ચેક બુક મેળવી ખાતા ધારકની ખોટી સહીઓ કરીને કરોડોની રકમનું આર.ટી.જી.એસ. ટ્રાજેંક્સન કરી ગૂનો આચરેલ જે બનાવની વર્ષ ૨૦૨૨માં ફરિયાદીએ પ્રથમ પી.આઈ.એ ડીવીઝન મોરબી તેમજ પોલીસ અધિક્ષકને લેખિત ફરિયાદ આપેલ હતી પરંતુ અંદાજે પાંચ થી છ મહિના બાદ પણ ફરિયાદ બનતી નથી (ગુનો નથી બનતો) તેવું પોલીસ દ્વારા રિપોર્ટમાં જણાવેલ હતું જેથી વર્ષ ૨૦૨૩માં ફરિયાદીએ પોતાના વકીલ મારફતે મોરબીના નામદાર કોર્ટમાં સી.આર.પી.સી.કલમ 156(3) મુજબ આઈ.પી.સી.કલમ 420,465,467,468,471,120બી, 114,34 વિગેરે મુજ ફરિયાદ દાખલ કરવા અરજ કરેલ હતી જે અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા તમામ પુરાવા અને મેરીટને ધ્યાનમાં લઈને વકીલશ્રીની દલીલને ધ્યાને લઈ તેમજ ફોરેન્સિક ડિપાર્ટમેંટ (હેન્ડ રાઇટિંગ એક્સપર્સ્ટ)ના રિપોર્ટ આધારે તેમજ સી.સી.ટી.વી ફૂટેજ વગેરેને ધ્યાનમાં લઈને મોરબી ના.મહે.એડી.ચીફ જ્યુડિ.મેજી.સાહેબની કોર્ટ એ આખરી હુકમ કરી સી.આર.પી.સી. કલમ 156(3)ના મુજબ તમામ જવાબદાર વ્યક્તિ જવાબદાર બેન્ક કર્મચારી તેમજ તપાસમાં જે જે ખૂલે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે આ કામના ઘણા આરોપીઓ હિસ્ટ્રીસિટર છે અને ગુનાના આદિ છે વારંવાર ગુના કરવા ટેવાયેલા છે અને ભૂતકાળમાં ઘણા ગંભીર ગુનાઓ તેમના પર નોંધાયેલ છે જેમાં આ કામે ફરીયાદી પક્ષના એડવોકેટ સિરાજ અબ્રાણી રોકાયેલ હતા





