સિરામિક ઉદ્યોગકારો સાથે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની મિટિંગ યોજાઈ વિવિધ પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ લાવવા અધિકારીઓને સૂચના આપી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ટંકારા પડધરીના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઇ દેથરિયાએ ઉધોગકારો સાથે એકોડઁ સ્લેબ ટાઇલ્સમા મિટીંગ કરેલ.ખાસ ઉંચી માંડલ થી તળાવિયા રોડ પર ટ્રાફિક ને અડચણ રુપ થતી બને સાઇડની ૧૧ કેવીની વિજ લાઇનોને અંડર ગ્રાઉન્ડ કરી વીજપોલ દુર કરવા પીજીવીસીએલના સંબંધિત અધિકારીઓને સુચના આપી તેમજ એકોડઁ સિરામિક પાસે નર્મદા કેનાલ ઉપરનના બ્રિજને પહોળો કરવા નર્મદા વિભાગના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું તેમજ તળાવિયા શનાળા ગામથી નીચી માંડલ ના કાચા માર્ગને સીસી બનાવવા તેમજ ઘુંટુ ગામથી તળાવિયા શનાળા રોડ સુધીના કાચા માર્ગને સીસી તેમજ તળાવિયા શનાળા સીસી રોડને પહોળો બનાવવા સ્થળ વિઝિટ કરી.ઉધોગકારોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કર્યા આ મિટિંગમા સિરામિક એસોસિએશનના પુર્વ પ્રમુખ નરભેરામભાઇ સરડવા, પુર્વ ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ સંઘાત ,કેપેકસીલના સિરામિક પેનલ ચેરમેન નિલેશભાઈ જેતપરિયા,નિલસન ગૃપના સંજયભાઈ માકાસણા સાથે અગ્રણી ઉદ્યોગપતિ ભગવાનજીભાઈ, કેતનભાઈ (બાથેરો ગૃપ), જીતુભાઈ (લેવીસ ગૃપ) તેમજ યુવા ઉધોગકારોએ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયાનુ સ્વાગત અભિવાદન કર્યું

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW