Morbi નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં તાજમહમદભાઈ ભટ્ટી નામના આધેડની નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ પહેલા આધેડની હત્યા કરી હતી અને ત્યારબાદ પુરાવા છુપાવવા માટે લાશને જમીનમાં દાટી તેના ઉપર સિમેન્ટ કોંક્રિટ કરી નાખવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
ઘટનાસ્થળે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક દૃષ્ટિએ આ મામલો પૂર્વ વૈરઝેર અથવા અન્ય કોઈ વ્યક્તિગત રંજિશને કારણે બન્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ પણ તપાસ હેઠળ લેવામાં આવ્યા છે.
મોરબી પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવામાં આવશે.
આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.





