(અહેવાલ: મયંક દેવમુરારી)
જામનગર મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવી નિમણૂકો કરવામાં આવી છે. તા. 13 માર્ચ 2026ના રોજ જાહેર કરાયેલા સંગઠનાત્મક નિમણૂંક પત્ર અનુસાર દક્ષાબેન કુબાવતને જામનગર મહાનગર મહિલા મોરચાના કાર્યકારી સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ નિમણૂંક શહેર સંગઠન પ્રભારી ધનસુખભાઈ ભંડેરીના માર્ગદર્શન હેઠળ તથા શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીના સંકલનથી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
દક્ષાબેન કુબાવતની નિમણૂંકથી મહિલા મોરચાની કામગીરીમાં વધુ સક્રિયતા અને સંગઠનને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.





