કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડીયા અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી કાયદાકીય સમજ આપી હતી.
અવારનવાર શરીર સંબંધિત, મિલ્કત સંબંધિત ગુનાઓ તથા પ્રોહિબિશન પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોના ગુનાહિત ઇતિહાસનો અભ્યાસ કરી તેમને “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો”નો સંદેશ આપ્યો હતો. સાથે જ સામાન્ય નાગરિકની જેમ જીવન જીવવા અને કાયદાનું પાલન કરવા પ્રેરણા આપવામાં આવી હતી.




