મોરબી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ‘સ્વચ્છતા જાગૃતિ રેલી’નું આયોજન

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

રાજકીય, સામાજિક અગ્રણીઓ અને નાગરિકોની પ્રેરક ઉપસ્થિતિ સાથે સ્વચ્છ મોરબીનો સંદેશ
મોરબી: શહેરને સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાના સંકલ્પ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત ભવ્ય સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો મુખ્ય હેતુ નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ પર્યાવરણના સંરક્ષણ માટે લોકોને પ્રેરિત કરવાનો હતો.
મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રેલી સરદારબાગ માર્ગે શનાળા રોડ સ્થિત અખંડ ભારતના શિલ્પી પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર રેલી દરમિયાન ઉપસ્થિત આગેવાનો, અધિકારીઓ અને નાગરિકોએ સ્વચ્છ મોરબીના સંદેશ સાથે વિવિધ સૂત્રોચ્ચારો કરીને જનજાગૃતિ ફેલાવી હતી.
અગ્રણી આગેવાનો રહ્યા ઉપસ્થિત
આ જાગૃતિ રેલીમાં મોરબીના રાજકીય, સામાજિક તેમજ વહીવટી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં મુખ્યત્વે:
જયંતીભાઈ રાજકોટીયા – પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપ
નિર્મલભાઈ જારીયા – મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ
ઉત્તમભાઈ સુરાણી – મેયર, મોરબી મહાનગરપાલિકા
ચિરાગભાઈ રાણપરા – ડેપ્યુટી મેયર, મોરબી મહાનગરપાલિકા
જયંતીભાઈ પંડસુંબીયા – ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી
જયેશભાઈ દેસાઈ – દંડક
અર્પિતાબા જાડેજા – શાસક પક્ષના નેતા
આ ઉપરાંત મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના કોર્પોરેટરો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેરના વિવિધ સમાજોના આગેવાનો અને નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા.
સ્વચ્છતા સૌની સામૂહિક જવાબદારી
કાર્યક્રમ દરમિયાન મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવી હતી કે સ્વચ્છતા માત્ર તંત્રની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની સામૂહિક ફરજ છે. શહેરને સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ બનાવવા માટે દરેક વ્યક્તિએ પોતાનો સક્રિય ફાળો આપવો જરૂરી છે.
“આવો, આપણે સૌ સાથે મળીને સ્વચ્છ અને હરિયાળું મોરબી બનાવીએ”
સ્વચ્છતા જાગૃતિ રેલી દ્વારા મહાનગરપાલિકાએ શહેરવાસીઓને સ્વચ્છતા જાળવવા, કચરો યોગ્ય જગ્યાએ નાંખવા અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW