આગામી ૨૮ જૂને નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અન્વયે જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૧.૨૫ લાખ બાળકોને અપાશે પલ્સ પોલિયોના ટીપા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સમીક્ષા બેઠક યોજાઈ

આયુષ્માન યોજના, રસીકરણ અને લેપ્રસી કેમ્પેઇનની સમીક્ષા; માતા-બાળ મરણ અટકાવવા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અપાયું જરૂરી માર્ગદર્શન

મોરબી જિલ્લાના નાગરિકોને સુદ્રઢ અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાના હેતુથી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

આ બેઠક અંતર્ગત યોજાયેલી ડી.જી.આર.સી. (DGRC) મીટિંગમાં કલેક્ટરએ ‘PM-JAY આયુષ્માન યોજના’ હેઠળ જિલ્લામાં થતી કામગીરીની પ્રગતિ ચકાસી હતી. જિલ્લામાં માતા મરણ અને બાળ મરણના દરમાં ઘટાડો લાવવા માટે કલેક્ટરએ તેના મૂળભૂત કારણોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને તેને અટકાવવા તબીબી તંત્રને વધુ ગંભીરતાથી કામ કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ઉપરાંત, ડી.ટી.એફ.આઈ. (DTFI) બેઠકમાં બાળકોના નિયમિત રસીકરણની પ્રક્રિયા ચકાસવામાં આવી હતી, જેના ભાગરૂપે આગામી તા. ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ ‘નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે’ અંતર્ગત પલ્સ પોલિયો કાર્યક્રમના આયોજન બાબતે માહિતી મેળવી હતી. જેમાં મોરબી જિલ્લાના તમામ વિસ્તારોના ૦ થી ૫ વર્ષના અંદાજિત ૧,૨૫,૦૦૦ બાળકોને પોલિયો વિરોધી રક્ષણાત્મક ટીપાં પીવડાવવાનું વહીવટી લક્ષ્યાંક નિર્ધારિત કરાયું છે.

બેઠકના અંતે, એલ.સી.ડી.સી. (LCDC) કમિટી હેઠળ ચર્ચા કરતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગત તા. ૦૮ જૂનથી શરૂ થયેલું અને આગામી તા. ૧૮ જૂન સુધી ચાલનારું ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન’ અત્યંત મહત્વનું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાંથી લેપ્રસી ના શંકાસ્પદ દર્દીઓનું વહેલાસર સચોટ નિદાન કરી તેમની સારવાર પૂર્ણ કરવાનો છે, જેથી આ રોગને જડમૂળથી નિર્મૂલન કરી શકાય.

આ સમીક્ષા બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.વી. શ્રીવાસ્તવ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW