મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા એ ગેરકાયદેસર નશીલા આર્યુવેદીક શીરપના વેંચાણ અંગેના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા એ સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ.દિવ્યરાજસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના લાલપર ગામની સીમ ગોપાલ હાર્ડવેર પાછળ પટેલ ગેર હાઉસની પાછળ આવેલ ગોડાઉનમાંથી ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની કુલ બોટલ નંગ-૪૬૭૦ કિ.રૂ.૬,૨૮,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
– જથ્થો રાખી વેંચાણ કરનાર:-
(૧) કલ્પેશભાઇ અશ્વિનભાઇ કોટેચા રહે-મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ
નશીલી આર્યુવેદીક શીરપની બોટલ નંગ- ૪૬૭૦ કિ.રૂ.૬,૨૮,૪૦૦/-