Sunday, May 25, 2025

કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ સમારોહ સ્થળ – કરસનજીના આંગણા ખાતે યજ્ઞમાં આહુતિ અર્પણ કરી વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી

Advertisement
Advertisement
Advertisement

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે પ્રદર્શન કેન્દ્રની મુલાકાત લઈને દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી માહિતગાર થતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતિ નિમિતે મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહેલી ભવ્યાતિભવ્ય ઉજવણીમાં આજે બીજા દિવસે ભારત સરકારના પશુપાલન, ડેરી ઉદ્યોગ અને મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજી સાથે મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ હવનકુંડમાં આહુતિ અર્પણ કરી ભાવ સમર્પણ કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી રૂપાલાએ મહોત્સવ સ્થળે નિર્મિત કરવામાં આવેલ વિવિધ પ્રદર્શન કેન્દ્રોની મુલાકાત લીધી હતી જ્યાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના જીવન કવનની ઝીણવટભરી વિગતોથી મંત્રીશ્રીને વાકેફ થયા હતા. મંત્રીશ્રી ટંકારા ખાતે નિર્માણ પામનાર ‘જ્ઞાન જ્યોતિ તીર્થ’ની પ્રતિકૃતિ જોઈ પ્રભાવિત થયાં હતાં. તેમણે લોક કલ્યાણનું વિશાળ કાર્ય હાથ ધરવા બદલ રાજ્યપાલશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
જ્ઞાન જ્યોતિ પર્વ – સ્મરણોત્સવ અંતર્ગત દરરોજ વહેલી સવારે યોગ આસન કરાવવામાં આવી રહ્યા છે. મહોત્સવમાં ભાગ લઈ રહેલા મહેમાનો યોગ આસનોના સેશનમાં ભાગ લઈ રહ્યા છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW