Wednesday, June 18, 2025

માળીયા મી. પુર અસરગ્રસ્તોનો પ્રવાસ ખેડતા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અસરગ્રસ્તોની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ:મયંક દેવમુરારી)

માળીયા મિંયાણા શહેર ઉપર મચ્છુ બે ડેમના ધસમસતા પાણી ફરી વળતા પુર અસરગ્રસ્તોની મુલાકાતે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા દોડી ગયા હતા જેમા મોરબી માળીયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની સાથે બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા તાજેતરમાં મોરબી મચ્છુ બે ડેમના ધસમસતા પાણી માળીયા શહેર અને આસપાસના ગામોમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ભારે તારાજી સર્જાઈ હોય પુર અસરગ્રસ્તોની મુલાકાતે સાંસદે અતિવૃષ્ટિ વિસ્તારમાં ભાજપના આગેવાનો અધિકારીઓની સાથે કાર્યકર્તાઓના કાફલા સાથે સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ માળીયા શહેર અને અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લીધી હતી જેમાં પુર અસરગ્રસ્ત હરીપર ગામે રાશનકીટનુ વિતરણ કરવામાં આવ્યું હતુ સાંસદે પુર અસરગ્રસ્તોની મુલાકાત લઈને ખબર અંતર પૂછી જરૂરી સુચનો કર્યા હતા

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW