મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા ની આગેવાની હેઠળ મોરબી જિલ્લા ના હોદ્દેદારો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ગુજરાત ભરમાં વધી રહેલી જંત્રી, સ્ટેમ્પ ડયુટી, અને ટેક્સ કે જેના લીધે રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદી ના લીધે અનેક લોકોની રોજગારી છીનવાઈ રહી છે અને આમ જનતાને પોતાના ઘરનું ઘર નું સ્વપ્ન એક સ્વપ્ન રહે એવી પરિસ્થિતિ થઈ રહી છે આ વધારાના હિસાબે દસ્તાવેજ ની નોંધણી પર પણ અસર વર્તાઈ રહી છે તો આ તમામ મુદ્દાઓ ની રજૂઆત કલેકટરને કરવામાં આવી અને કલેકટર મારફત સરકાર સુધી રજુઆત પહોચે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું