Monday, May 19, 2025

મોરબીના મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી 1 લાખ 40 હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી ના બનાવમાં એક શખ્સ ની અટકાયત

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના મહેન્દ્રપરામા મહાકાળી માતાજીના મંદિરમાંથી 1 લાખ 40 હજારની કિંમતના સોના-ચાંદીના છતરની ચોરી કોઈ અજાણ્યો ચોર ઇસમ કરી ગયો હવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી એક શખ્સની અટક કરેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી સરદારબાગ પાછળ શીવમ હાઇટસ બ્લોક નં -૫ માં રહેતા દિનેશભાઇ મોતીલાલ ભોજાણી (ઉ.વ.૭૦)એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૨-૨૦૨૨ થી ૨૮-૧૨-૨૦૨૨ દરમ્યાન કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમએ આ કામના ફરીયાદીના મહાકાળી માતાજીના મંદીરના દરવાજાના તાળા તોડી મંદીરમા માતાજીની મુર્તી ઉપર ચડાવવામા આવેલ સોનાના ત્રણ છતર કિ.રૂ. ૧,૩૨૦૦૦/- તથા ચાંદીના નાના મોટા આઠ છતર કિ.રૂ.૮૦૦૦/- મળી કુલ કી રૂ.૧,૪૦૦૦૦/- ના મુદામાલની ચોરી કરી લઇ ગયો હવાની દિનેશભાઇએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી દિનેશભાઇ પુંજાભાઈ ટુંડીયાની અટક કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW