Monday, May 19, 2025

RSS મોરબી નગરનું જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે એકત્રીકરણ તથા પથ સંચલન યોજાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: તા.૧/૧/૨૦૨૩ રવિવાર ના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી નગરનું જે. એ.પટેલ મહિલા કોલેજ ખાતે બપોરે ૩ થી ૬ના સમયમાં એકત્રીકરણ તથા પથ સંચલન યોજાયું.
સૌરાષ્ટ્ર પ્રાંતના શારીરિક પ્રમુખ દિપકભાઈ ગમઢા તથા સહ સેવા પ્રમુખ હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્વયંસેવકો એ દંડના વિવિધ પ્રયોગ, નિયુદ્ધ વિગેરેના સુંદર પ્રયોગ કરેલ. શારીરિક પ્રયોગો બાદ મહિલા કોલેજ, જી.આઇ.ડી.સી, શનાળા રોડ, ડૉ. ભાડેસિયા હોસ્પિટલ થઈને મહિલા કોલેજ રૂટમાં સ્વયંસેવકોનું અનુશાસિત પથ સંચલન ઘોષના તાલ સાથે નીકળેલ જેને નગરજનોએ સુંદર પ્રતિસાદ આપેલ.
આ પથ સંચલનમાં અંદાજે ૧૫૦ સ્વયંસેવકો એ ઉત્સાહભેર ભાગ લીધેલ. ત્યારબાદ રાજકોટ વિભાગ પ્રચારક રામસિંહભાઈ બારડે મનનીય વક્તવ્યમાં જણાવેલ કે હિન્દુ સંગઠન જેમ જેમ મજબૂત બનશે તેમ તેમ રાષ્ટ્ર પરમ વૈભવને પામશે અને તે માટે સંઘ કાર્યનો નિરંતર વિકાસ થાય તે દિશામાં તન, મન અને ધનથી કાર્ય કરવાની હાકલ કરી હતી. આ ગૌરવ યુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા સંઘ ચાલક લલિતભાઈ ભાલો ડિયા,રાજકોટ વિભાગ સહ કાર્યવાહ વિપુલભાઈ અઘારા, મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા, સહ કાર્યવાહ જસ્મિનભાઈ હિંસુમોરબી નગર કાર્યવાહ ડો. જયદીપભાઈ કંઝારિયા, સહ કાર્યવાહ દિલીપભાઈ કડેચા, જીતુભાઈ વિરમગામા, પ્રચારક સુરેશભાઈ ગોરસિયા વિગેરેનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળેલ . આ કાર્યક્રમમાં અંદાજે ૨૩૦ સ્વયંસેવક ઉપસ્થિત રહેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW