મોરબી ના ઘુનડા(સ.) આગામી તા.૨૨-૦૧-૨૦૨૩ને રાત્રે ૯ કલાકે નકલંકધામ તોરણીયા નું પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે આ રામામંડળમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આયોજક વિનોદભાઇ પોપટભાઇ બરાસરા દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. તથા વધુ માહીતી માટે મો.૯૮૨૪૮૨૪૩૩૩ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું હતું.