Thursday, May 22, 2025

મોરબી અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્યે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવી ઉજવ્યો જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વિવિધ સેવાકાર્ય થકી જાણીતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપ દ્વારા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદને મદદ કરવી, બાળકોને આનંદિત કરવા તથા વૃદ્ધાશ્રમ-દિવ્યાંગોને ભોજન કરાવી આશિર્વાદ મેળવી જન્મદિવસ ઉજવવામાં આવે છે.

ત્યારે આજે અનસ્ટોપેબલ વોરીયલ ગ્રુપના સભ્ય દયાબેન મકવાણાનો જન્મદિવસ હતો. જેથી મોરબીના અગ્નેશ્વર મહાદેવ, મયુર પુલ નીચે તથા અલગ-અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને પફનો નાસ્તો કરી દયાબેને જન્મદિવસ ઉજવ્યો હતો. આ તકે અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ, પ્રભાબેન મકવાણા સહિતના ઉપસ્થિત રહીને બાળકોને નાસ્તો તથા પફનું વિતરણ કર્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW