Wednesday, May 21, 2025

મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળ દ્વારા જિલ્લાના ચારેય ધારાસભ્ય નો સન્માન સમારોહ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રંચડ બહુમતીથી જીત હાંસલ કરનાર મોરબી જિલ્લાના ધારાસભ્યોનું મોરબીના સરતાનપર રોડ પર આવેલા મોરબી પાંજરાપોળ ખાતે સન્માન સમારોહ યોજાયો જેમાં સાથોસાથ ગૌવંશ દર્શન-વન દર્શન અને ધૂન ભજન સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, અને દુર્લભજીભાઈ દેથરીયા સહિતના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા વિશેષ પણે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મોરબી જિલ્લા ભરમાંથી ગૌ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.તેમજ જુના જમાનાની આગવી સેલીમાં રાસની રમજટ પણ બોલાવી હતી.જે બાદ ગૌવંશ દર્શન-વન દર્શન તથા બજરંગ ધૂન મંડળની ધૂન ભજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ સંપન્ન થયે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW