વોર્ડ નં ૪માં ભૂગર્ભ ગટર છલકાતી હોવની સમસ્યાને લઈને કાયમી ધોરણે ચાર માણસો અને એક રીક્ષા ફાળવવા માંગણી કરવામાં આવી

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વોર્ડ નં ૪માં ભૂગર્ભ ગટર છલકાતી હોવાની સમસ્યાથી લોકોમાં થતી પરેશાનીનો લઈને આ વિસ્તારના આગેવાનો અને પૂર્વ કાઉન્સિલરો જસવંતી બેન સિરોહિય તેમજ સુરેશભાઈ સિરોહિયા દ્વારા મોરબી નગરપાલીકાના વહીવટદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

વોર્ડ નં ૪માં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવા તથા છલકવાની ગંભીર પરિસ્થિતિ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કામ થતું નથી. ત્યારે હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે. અને પ્રિ મોનસૂનની કામગીરી હેઠળ બધી મોટી કુંડીઓ સાફ કરવાની ખાસ જરૂર હોવાથી વોર્ડ નં ૪માં કાયમી ધોરણે ચાર માણસો અને એક રીક્ષા ફાળવવા માંગણી કરવામાં આવી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW