Friday, March 14, 2025

મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ વિરપુર (જલારામ) મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન માં જવા રવાના

Advertisement

*શ્રી લોહાણા મહાજન-મોરબી ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ ની આગેવાની માં બહોળી સંખ્યા *ટંકારા લોહાણા મહાજન, આમરણ લોહાણા મહાજન, બાલંભા લોહાણા મહાજન સહીતના મહાજનો ના અગ્રણીઓ મોરબી લોહાણા મહાજન સાથે વિરપુર જવા રવાના.*

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તમામ રઘુવંશીઓ માટે નિઃશુલ્ક બસ ની વ્યવસ્થા કરતું મોરબી શ્રી લોહાણા મહાજન*

સમગ્ર ગુજરાત ના લોહાણા મહાજનો ની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ ના નવનિર્વાચિત અધ્યક્ષ તરીકે જામનગર ના ઉદ્યોગપતિ શ્રી જીતુભાઈ લાલ નો પદગ્રહણ સમારોહ ઉપરાંત સમસ્ત રઘુવંશી સમાજ ના મહાસંમેલનનું આયોજન વિરપુર (જલારામ) મુકામે કરવામાં આવેલ છે ત્યારે આ મહાસંમેલન માં મોરબી શ્રી લોહાણા મહાજન ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, સી.પી.પોપટ, રમણીકભાઈ ચંડીભમર, પ્રફુલ્લભાઈ કોટક, ટંકારા લોહાણા મહાજન પ્રમુખ કાંતિભાઈ કક્કડ, રીતેશભાઈ કક્કડ, બાલંભા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, આમરણ લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ કાનાબાર, હશ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ના કીશોરભાઈ પલાણ, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, રઘુવંશી યુવક મંડળ ના પૂર્વ પ્રમુખ પપ્પુભાઈ ચંડીભમર, રઘુવંશી ક્રાંતિ મંચ (RKM)-મોરબી ના અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, અમિતભાઈ દક્ષિણી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી ના ઉપાધ્યક્ષ પારસભાઈ ચગ, જીતુભાઈ કોટક, વિપુલભાઈ પંડિત, પ્રદીપભાઈ પોપટ, લોહાણા સમાજ અગ્રણી દીનેશભાઈ ભોજાણી, કરીયાણા એશોસિયેશન-મોરબી ના અગ્રણી મનોજભાઈ પંડિત, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના ના પ્રમુખ હસુભાઈ પુજારા, સહમંત્રી ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ઘેલાણી, નિરવભાઈ હાલાણી, કીશોરભાઈ ચંડીભમર, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ના અધ્યક્ષ ભાવનાબેન સોમૈયા, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબી ના અગ્રણી અનિલભાઈ સોમૈયા સહીત ના અગ્રણીઓની આગેવાની માં બહોળી સંખ્યા માં મોરબી ના લોહાણા સમાજ ના અગ્રણીઓ વિરપુર જવા રવાના થયા. મોરબી ના રઘુવંશીઓ માટે વિરપુર જવા-આવવા માટે શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નિઃશુલ્ક બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે. મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા નો મહાપ્રસાદ ગ્રહણ કરી મોરબી લોહાણા સમાજ ની વિવિધ સંસ્થા ના અગ્રણીઓએ વિરપુર રઘુવંશી સમાજ ના મહાસંમેલન માં સહભાગી થવા, જ્ઞાતિગંગા ના દર્શન માટે પ્રસ્થાન કર્યુ હતુ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW