મોરબીના અગ્નેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં એકતા એજ લક્ષ્ય સંગઠન ની કમિટી બેઠકનું આયોજન થયું હતું. જેમાં આ નવરાત્રી દરમિયાન ૨૦૦ થી વધારે સોસાયટીમાં શેરી ગરબા માં જઇ શક્તિરૂપી શેરી ગરબા માં આપી તથા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન આ બંને કાર્યક્રમ થાય તે માટેની ચર્ચા એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા કરવામાં આવી હતી તથા ૨૦૦ થી વધારે તલવાર નવરાત્રી દરમિયાન વિતરણ કરવામાં આવશે. શેરી ગરબા ને પ્રાધાન્ય મળશે તો જ નવરાત્રીનું ધંધા કરણ બંધ થશે અને ડિસ્કો ડાન્સ બંધ થઈ લવ જીહાદ પર કાબુ મેળવી શકાશે અને ફરીથી સનાતન નવરાત્રીનો સાચો અર્થ સમજી માતાજીની આરાધના ઉપાસનામાં લાગશે અને બહેન દીકરીઓ સાચા અર્થમાં ગરબા નો મતલબ સમજી શકશે. તેમ એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા અખબાર યાદીમાં જાણવામાં આવ્યું હતું