મોરબી મુકામે 26 નવેમ્બર રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરેલ. તેમજ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું પઠન કરી રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરી હતી