ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત મા 1419 કરોડ અતિવૃષ્ટિ નુકશાની વળતર ચુકવાયુ જે પૈકી મોરબી તાલુકા ને 76 કરોડ રકમ ખેડુતો ના એકાઉન્ટ મા સીધી ચુકવાઇ
આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર- ગોર ખીજડીયા ખાતે મોરબી તાલુકા નો રવિ કૃષિ મહોત્સવ યોજાયો
મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઇ દેસાઇ, મોરબી તાલુકા સંગઠન પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, પ્રાંત અધિકારી સુશીલ પરમાર , મામલતદાર ધનવાણી મોરબી તાલુકા પંચાયત ઉપ પ્રમુખ જયેશભાઇ રાઠોડ, કારોબારી ચેરમેન તુલશીભાઇ પાટડીયા, કૃષિ અધિકારી દેત્રોજા તથા મોરબી તાલુકા વહીવટી તંત્રના અધિકારી ની ઉપસ્થિતિ માં કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો
કૃષિ મહોત્સવ ના શુભારંભ સમયે વકત્વય મા મોરબી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઇ વાસદડીયા એ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખ, કારોબારી ચેરમેન શ્રી ને અભિનંદન આપતા જણાવ્યુ કે ગત ચોમાસા મા અતિવૃષ્ટિ થી થયેલ નુકશાન સર્વે કરાવવા મા મોરબી તાલુકા ના ખેતી અધિકારીઓ અને ગ્રામસેવક સાથે સંકલન સાધી સુવ્યવસ્થિત રીતે સર્વે કરવાથી સમગ્ર ગુજરાત ની 1419 કરોડ રકમ માથી 76 કરોડ જેટલી માતબર રકમ માત્ર મોરબી તાલુકા ના ખેડુતો ને વળતર તરીકે મંજુર થયેલ છે તે ખરેખર અભિનંદન ને પાત્ર છે
આ કૃષિ મહોત્સવ તા. 6 અને 7 ડિસેમ્બર સુધી જુદા જુદા કૃષિ વૈજ્ઞાનિકો ખેડુતો ને આધુનિક ખેતી વિશે માહીતી આપશે
કાર્યક્રમ નુ સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામા આવ્યુ