ઝીકિયાળીના શિક્ષક પ્રકાશ કુબાવતનું બાળવાર્તાનું ચોથું પુસ્તક પ્રકાશિત થયું
માતૃભાષા અભિયાન અંતર્ગત શનિસભામાં યશવંત મહેતાના અધ્યક્ષસ્થાને મોરબીની ઝીકિયાળી પ્રા.શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશભાઈ કુબાવત નું પુસ્તક ‘જાનુ અને સોનેરી માછલી’નું વિમોચન કરવામાં આવ્યું.
આ અગાઉ પ્રકાશભાઈ નું પ્રથમ પ્રકાશિત પુસ્તક ‘બાળપરીની વ્યથા’ને બાળસાહિત્ય અકાદમીનો પારિતોષિક મળેલ છે. બીજા પુસ્તક ‘પરીરાણીના દેશ’માં ને અંજુ-નરસી પુરસ્કાર મળેલ છે. ત્રીજું પુસ્તક પ્રવીણ પ્રકાશન દ્વારા ‘પંખીને પાંખો મળી’પ્રકાશિત થયેલ છે .
ઉત્તરોતર બાળસાહિત્ય ક્ષેત્રે પ્રગતિ કરતા રહે તેવી મોરબી ગૌરવ સમાચાર તરફથી પ્રકાશભાઈ કુબાવત ને શુભેચ્છાઓ