મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક
અનિવાર્ય સંજોગોમાં બેઠકની તારીખમાં ફેરફાર કરાયો
મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે ૧૧/૦૪/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે યોજાવાની હતી. અનિવાર્ય કારણોસર સંકલન બેઠકની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સંકલન બેઠક ૧૧/૦૪/૨૦૨૫ ના બદલે ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ યોજાશે. જે બાબતને ધ્યાને લેવા સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે