મોરબી ના નવલખી રોડ પર આવેલ આસ્થા ને શ્રદ્ધા ના પ્રતીક સમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આઠમો સર્વજ્ઞાતિ સમૂહલગ્ન તા ૨૦-૦૫ ને મંગળવારે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિર બાજુમા ધુતારી નવલખી રોડ મોરબી ખાતે
યોજાશે જેમાં મંડપ મુહૂર્ત બપોરે ૩ વાગ્યે જાન આગમન સાંજે ૪ વાગ્યે ભોજન સમારંભ ને સાંજે ૭ કલાકે હસ્ત મેળાપ સાંજે ૭:૪૫ એ આ સમૂહલગ્ન ની વિધિ શાસ્ત્રી હિરેનભાઈ વી પંડ્યા દ્વારા કરવામાં આવશે આ સમૂહલગ્ન માં ૨૧ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાશે દીકરીઓ ને કરીયાવર માં સોના ચાંદી ના દાગીના થી માંડી ૯૭ ગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવશે આ સમૂહલગ્ન માં મહંત ભાવેશ્વરી બેન રામધન આશ્રમ મહેન્દ્રનગર મોરબી, દામજી ભગત નકલંક મંદિર બગથળા,સહિત રાજકીય સામાજીક આગેવાનો ઉપસ્થિત રહેશે આ સમૂહલગ્ન ને સફળ બનાવવા પ્રમુખ ધનુભા ભીખુભા જાડેજા ઉપ પ્રમુખ વિનુભાઈ ડાંગર,ખજાનચી શૈલેષભાઇ જાની,મંત્રી ધીરુભા જાડેજા,ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાણંદિયા,ભાવેશભાઈ મહેતા, સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.