મોરબીમાં ૧૧ મા ‘વિશ્વ યોગ દિવસ’ ની ઉજવણી અંતર્ગત નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના નિર્દેશ તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીના માર્ગદર્શન અન્વયે સરકારી આયુર્વેદ દવાખાનું, જનરલ હોસ્પિટલ- મોરબી દ્વારા સતવારા સમાજની વાડી વજેપર, મોરબી ખાતે વિનામૂલ્યે તારીખ ૩૦/૦૫/૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ થી ૧૦:૦૦ યોગ શિબિર તથા સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં યોગ નિદર્શન, આયુર્વેદિક નિદાન, સારવાર (વિનામૂલ્યે), આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન, આયુર્વેદિક રોગ પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા દવા વિતરણ, હરસ, મસા, શરદી, ઉધરસ, શ્વાસ, એલર્જીની શરદી, સાંધાનો, સ્નાયુનો દુ:ખાવો, ખરજવુ, ધાધર, ખીલ, કાળા ડાઘ જેવા ચામડીના રોગ, સ્ત્રીઓના રોગ, બાળકોના રોગ, અપચો, ગેસ, પેટનો દુખાવો, એસીડીટી, કૃમિ, કબજિયાત, મરડો જેવી પાચન સંબંધી તકલીફ, મધુમેહ, સ્થૂળતા જેવા જીવનશૈલી આધારિત રોગોનું નિદાન અને સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ઉપરાંત ‘ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોઝ’ આ સૂત્ર મુજબ તંદુરસ્ત રહેવા માટેનું માર્ગદર્શન માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે યોગ શિબિરમાં યોગાસન માટે આસન સાથે લઈ આવવા અને આ કેમ્પનો લાભ લેવા મોરબી જિલ્લાની જાહેર જનતાને મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.