Wednesday, June 18, 2025

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુજરાત ગેસ કંપની દ્વારા વૃક્ષા રોપણ કરાયું

Advertisement
Advertisement
Advertisement

*ગુજરાત ગેસ કંપની દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વૃક્ષા રોપણ*

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા દરરોજ કંઈક ને કંઈક વિદ્યાર્થીલક્ષી,સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતી છે, ત્યારે અત્યારે દિવસે દિવસે ઔદ્યોગિકરણ અને આધુનિકીકરણ કારણે વૃક્ષોનું છેદન દિન પ્રતિદિન વધતું જાય છે, સોસાયટીમાં ઘરની સામે ઉભેલા ઘટાદાર વૃક્ષોમાંથી પાનખરમાં ઝાડમાંથી પાંદડા ખરતા હોય કહેવાતા ભણેલા ગણેલા લોકોને ઝાડ ગમતા ન હોય આડેધડ ઝાડ કાપી નાખે છે, કારખાના,મકાનો,રોડ રસ્તા બનાવવામાં વૃક્ષોનું ભયંકર રીતે છેદન થાય છે, સિમેન્ટ કોન્ક્રીટનાં જંગલો બની ગયા છે ત્યારે પર્યાવરણ જાળવણી માટે અત્રેની પીએમશ્રી માધાપરવાડી ખાતે ગુજરાત ગેસ કંપનીના મોરબી સર્કલ હેડ ડો. કમલેશ કંટારીયા,નરેન્દ્ર બારહટ, ગૌરાંગ વોરા,ધવલ વ્યાસ,દીપ ધ્રાફાણી વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં કરંજ,સવન,પીપળો,વાંસ,ચંપો આસોપાલવ વગેરે જેવા પંદર વૃક્ષો વાવવામાં આવ્યા હતા, વૃક્ષા રોપણ કરવામાં શિક્ષકો અશ્વિનભાઈ ક્લોલા, અરવિંદભાઈ કૈલા તેમજ બાળકોના વાલી મનસુખભાઈ પ્રભુભાઈ વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW