CDHO પી કે શ્રીવાસ્તવ ના માર્ગદર્શન હેઠળ PHC કેન્દ્ર ખાખરાળાના ડો.એસ.એચ.જીવાણીની સુચના મુજબ ખાખરાળા PHC નીચે આવતા સેજાના ગામોમાં જૂલાઇ માસ ડેન્ગ્યુ વિરોધી માસ નિમીતે વિવિધ સ્થળે ગપ્પી ફીશ તેમજ મેલરીયા-ડેંગીયુ ના મચ્છરના પોરા નિદર્શન દરેક ગામમાં શાળામાં બતાવવામા આવેલ તેમજ ગામમા પત્રીકા વિતરણ કરવામા આવેલ.
તેમજ ગામમા મેલરીયા ડેંગીયુ ચીકન ગુનીયા જેવા રોગો વિશે જનજાગૃતી ફેલાવવામા આવી, સાથે આયુષ્માન આરોગ્ય મંદિર ધરમપુર ના વિસ્તાર માં ગામજનો ને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ. મચ્છર જન્ય રોગો મેલરીયા, ડેંગુ જેવા થતા અટકાવવાના પ્રયાસ કરવામા આવેલ છે.
આ સાથે દરેક ગામમા પાણીમાં કલોરીનેશન ચેક કરવાની કામગીરી તેમજ પાણીજન્ય રોગચાળો અને મચ્છર જન્ય રોગચાળા વિશે લોકોને માહિતગાર કરવામા આવેલ.
આ કામગીરીમાં ધરમપુર phc સબ સેન્ટર CHO છાયાબેન નિમાવત, FHW ક્રિષ્નાબેન જાદવ, MPHW પ્રકાશભાઈ મકવાણા, તથા આશાબેહનો જોડાયા હતા




