આયુષ્યમાન ભારત યોજના હેઠળ સરકારે 70 વર્ષથી ઉંમર ના વરિષ્ઠ નાગરિકોને પણ સામેલ કર્યા છે .જે હેઠળ લાભાર્થીઓને પાંચ લાખ રૂપિયા સુધી ની સારવાર મફતમાં મેળવી શકે છે.આયોજન માટે લાયક લોકોએ આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવું પડે જેને લઈ મોરબી જીલ્લા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળાના સબસેન્ટર ધરમપુર ગામ ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન વય વંદના કાર્ડ નો કેમ્પ યોજવામા આવ્યો હતો. આયુષ્યમાન આરોગ્ય મંદિર ધરમપુર હેઠળ આવતા વિસ્તાર ના 70 વર્ષથી વધુ ઉંમરના બાકી રહેલ લાભાર્થીઓ દ્વારા લાભ લેવામા આવ્યો હતો,આ કામગીરી માટે જીલ્લા પંચાયત ના સભ્ય, ધરમપુર ગામ ના સરપંચ ધરમશીભાઈ માકાસણા, તલાટી મંત્રી નિકુંજભાઈ બારૈયા,સીએચઓ છાયાબેન નિમાવત,એમપીએચડબલ્યુ પ્રકાશભાઈ મકવાણા,રીનાબેન ગોહિલ તથા આશાબહેન અને ગામલોકો દ્રારા લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.





