મોરબી જીલ્લાના મોરબી તાલુકા ના ગામ બરવાળા થી બગથળા ગામ ને જોડતો રોડ જે આજે આઝાદી ના ૭૮વર્ષ થી પણ વધારે વર્ષો થયા હોવા છતાં કાચો રોડ છે.
આ રોડ ઉપર બરવાળા થી બગથળા જવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે. પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી. બરવાળા ગામ ની બધીજ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે. જેવું કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળા ના કામો માટે આ રોડ ખુબજ અગત્ય નો છે.
અ ઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાન ની પ્રસિદ્ધિ જગ્યા ના દર્શન માટે જવા માટે આ રોડ નો ઉપયોગ કરતા હોય છે.જેથી કરીને નવો રોડ બનાવામાં માટે માંગણી છે કે આ રોડ ને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકો ને સાથે રાખી ને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તો આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવા માટે કે.ડી. બાવરવા જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કરવામાં આવી છે




