Saturday, March 7, 2026

મોરબીના પ્રખ્યાત પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે દ્વારા દિવાળી ક્યારે અને બેસતું વર્ષ ક્યારે વાંચો દિવાળી પર્વ તહેવારના શુભ મુહૂર્તો અને ચોઘડિયા

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત ના સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રખર શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસે થી. જાણીએદીપાવલી ના શુભ મૂર્હતો. સનાતન ધર્મમાં દિવાળી એ તહેવારો ના રાજા ગણાય છે.પરંતુ તિથિ વધ ઘટ ના કારણે ઘણા લોકો મૂંઝવણ માં હોય છે.ત્યારે તહેવારો ની સચોટ માહિતી જાણીએ શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે પાસેથી

Advertisement

વિ.સં. ૨૦૮૧ ઇ.સ. ૨૦૨૫ માં ગાદી ઉપાડવા માટે નવા ચોપડા નોંધાવવાનાં કે ખરીદવાનાં સોનુ ચાંદી આભૂષણ ખરીદવા માટે ના શુભ મુહૂર્તો*

આસો વદ-૦૯ મંગળવાર, તા.૧૪-૧૦-૨૦૨૫ પૂષ્ય નક્ષત્ર ૧૧. ૫૫ થી , ચોઘડિયા
સવારના ૧૧. ૫૫ થી ૦૧. ૫૧ સુધી બપોરના ૧૫. ૧૮ થી ૧૬. ૪૫ સુધી
અને ૧૯. ૫૨ થી ૨૧. ૨૨ સુધી

આસો વદ-૯ બુધવારે તા. ૧૫/૧૦/૨૦૨૫ પુષ્ય નક્ષત્ર ૧૨-૦૦ મિનિટ સુધી
સવાર ના ૬-૩૦થી ૯-૩૦સુધી
અને ૧૦-૫૭થી ૧૨-૨૪ સુઘી

*ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ધન પૂજન-લક્ષ્મી દીપદાન, પૂજનનાં શુભ મુહૂર્તો ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી શ્રી યંત્ર પૂજન સિદ્ધ કરવા. બપોરે ૧૨:૨૦થી ધન તેરસ બેસે છે. જે રાત્રિ ભાગ માં તેરશ આવતી હોય તેને લક્ષ્મી પૂજન માટે પૂર્ણ દિવશ શુભ ગણવામાં આવેછે.*

ધનતેરસ :-
**આસો વદ-૧૨/ ૧૩ શનિવાર તા. ૧૮-૧૦-૨૦૨૫*
ચોઘડિયા*
બપોરના ૧૨-૩૩થી ૧૬-૫૩ ક.
સાંજના ૧૮-૧૯ થી ૧૮-૫૨ ક.
રાત્રિના ૨૧- ૨૩ થી ૨૬-૦૫ ક. તેમજ

આસો વદ ૧૩/૧૪ તારીખ:~ ૧૯.૧૦.૨૫ ના રવિવાર સવારે ૮. ૦૪ થી ૧૨. ૨૨ સુધી

*કાળીચૌદશ, :- કાળીપૂજન, તાંત્રિક મહાપૂજન, શ્રી હનુમાન પૂજન યંત્ર મશીનરી પૂજન, ત્રાજવા પૂજન, તેમજ સુરાપુરા દાદાના નૈવેધ્ય (નિવેધ) માટે ભૈરવ પૂજન વિગેરે……*

*આસો વદ-૧૪ રવિવાર તા. ૧૯-૧૦-૨૦૨૫
**ચૌદશ બપોરના ૧૩-૫૯ થી (૧:૫૯ થી) રાત્રિ ના ભાગ માં ચૌદશ આવતી હોવાથી જે ભાગ માં ચૌદશ આવે એને ગ્રાહ્ય કરવી શાસ્ત્રસંમત છે*(જે તારીખ ૨૦. ૧૦. ૨૦૨૫ બપોરે ૩. ૪૬ સુધી* )

**શુભ*દિપાવલી :-,ધન લક્ષ્મી* ચોપડા-શારદા પૂજનનાં શુભ* મુહૂર્તો*

*આસો વદ-૧૪/૩૦ રવિવાર તા *.૨૦-૧૦-૨૦૨૫ બપોરે ૩. ૪૬* થી શરુ થાય છે.
અહીં દિપાવલી નો લક્ષ્મીપૂજન માટેનો મુખ્યકાળ પ્રદોષ કાલ છે. તેથી ધર્મસિંધુ ગ્રંથ અનુસાર, નિર્ણંય સિંધુ ગ્રંથ અનુસાર, અને બ્રહ્મ પુરાણ અનુસાર કોઈ પણ શંસય વિના આ દિવસે દીપાવલી મનાવવી.
બપોરે ૧૫. ૪૬ થી ૧૯. ૫૦,
રાત્રે ૨૨. ૫૮ થી ૨૪. ૩૨

જે અમાસ ની ઉદ્યાત તિથિ બીજા દિવસે તારીખ. ૨૧. ૧૦. ૨૦૨૫ ના મંગળવાર સાંજે ૫. ૫૫ વાગે પૂર્ણ થાય છે.
*ચોઘડિયા*
સવારના ૦૯-૩૯ થી ૧૩-૫૭ ક.
૧૫-૨૪ થી ૧૬-૫૦ ક.

વિ. સં. ૨૦૮૨ *નૂતનવર્ષાભિનંદન*

કારતક સુદ-૦૧ બુધવારે તા. ૨૨-૧૦-૨૦૨૫ નૂતન વર્ષ, બેસતું વર્ષ.

કારતક સુદ-૫ રવિવારે તા. ૨૬-૧૦-૨૦૨૫, લાભપાંચમ, શ્રી પંચમી, જ્ઞાન પંચમી, વેપારકાર્ય પ્રારંભ દિવસ, મશીનરી પ્રારંભ

ભાગવતાચાર્ય
શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર ડી.દવે
મહાવીર નગર સોસાયટી
સામાકાંઠે ગજાનન મોરબી -૨
મો.80009 11444

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW