Saturday, March 7, 2026

ડાયાબિટીસના કારણે પગ કાપવાની સલાહ મળ્યા બાદ પણ બચી ગયો દર્દીનો પગ: આયુષ હોસ્પિટલમાં સફળ પ્લાસ્ટિક સર્જરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી: વર્ષોથી ડાયાબિટીસથી પીડાતા દર્દીએ છેલ્લા 8 વર્ષથી ડાયાબિટિક ફૂટ (Diabetic Foot) ના કારણે ન ભરાતા ઘાવની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘાવ એટલો વધુ ગંભીર થઈ ગયો હતો કે મોટી શહેરોની હોસ્પિટલોમાં તપાસ કરાવતાં પગ કાપવાની સલાહ આપવામાં આવી હતી.

આવામાં, મોરબીની આયુષ હોસ્પિટલમાં કરવામાં આવેલી સફળ પ્લાસ્ટિક સર્જરી પછી હવે ઘાવ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે અને દર્દીનું પગ કાપવાનું ટળી ગયું છે.

દર્દી માટે આશાની કિરણ બનીને આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. આશિષ હડિયલ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. તેમણે પ્લાસ્ટિક સર્જરી દ્વારા ઘાવનું યોગ્ય રીતે નિદાન કરી સારવાર આપી, જેના પરિણામે દર્દી હવે સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે અને તેના પગનું રક્ષણ થયું છે.

દર્દી તથા તેના પરિવારજનોએ ડૉ. આશિષ હડિયલ તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફનો દિલથી આભાર વ્યક્ત કર્યો.

આ સફળ સારવાર ડાયાબિટીસથી પીડાતા અનેક દર્દીઓ માટે આશાનું સંદેશ આપે છે કે, યોગ્ય સમયે યોગ્ય નિષ્ણાતની સલાહ અને આધુનિક સારવાર મળી રહે તો ડાયાબિટિક ફૂટ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ પગ બચાવી શકાય છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW