ગઇ તા.૩૦/૦૭/૨૦૨૫ ના મોડી રાત્રીના આશરે દોઢથી બે વાગ્યાના અરસામાં અજાણ્યા ચાર લુંટારૂએ ફરીયાદી મહંત રામચરણદાસ માતાજી નારણદાસજી રહે.મિતાણા ગામ ખોડીયાર મંદીર આશ્રમ તા.ટંકારા જી.મોરબી વાળાના ખોડલધામ આશ્રમના તાડા તોડી ગેરકાયદેસર રીતે ચોરી છુપીથી આશ્રમમાં ગૃહ અપપ્રવેશ કરી ફરીયાદીને છરી બતાવી ડરાવી ધમકાવી સોનાની કડી (મુંદરી) કાઢી લઇ તથા હાથમાં પહેરેલ ગેંડાનું કડુ તથા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૮૭૦૦૦/- ની મતાની લુટ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં તા.૧૩/૦૮/૨૦૨૫ ના ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
જે ગુન્હાને અંજામ આપનાર આરોપીઓને પોલીસ દ્રારા પકડીને આરોપીઓ પાસેથી ગુન્હામા ગયેલ મુદામાલ રોકડ રકમ પૈકી અગાઉ રૂ-૨૦,૦૦૦/- તથા સોનાની કડી (મુંદરી) જોડ-૦૧ કી.રૂ. ૩૫,૦૦૦/- તથા હાથમાં પેરવાનુ ગેડા ચાંદીનુ પળ ચડાવેલ કડુ કી.રૂ. ૨૦૦/- મળી કુલ કી.રૂ. ૫૫,૨૦૦/-નો મુદામાલ ફરીયાદીને સુપ્રત કરવા હુકમ કરવામા આવતા ફરીયાદી ને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોપતી ટંકારા પોલીસ





