મોરબી: આગામી તા. ૮ સપ્ટેમ્બરથી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ મોરબી મહાનગરપાલિકાની હદમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ આ સમયગાળા દરમિયાન બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકા દ્વારા સંબંધિત તમામ વેપારીઓ અને સંચાલકોને જાહેરનામાની કડકપણે અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ધ બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ હેઠળ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ સંબંધિત તમામ વ્યક્તિઓને જાહેરનામાની ગંભીર નોંધ લઈ નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.


