ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ની આગેવાનીમાં આવતીકાલે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાઈ
વન નેશન વન ઈલેક્શન અંતર્ગત ચૂંટણી ખર્ચ ઘટાડવા, વારંવાર લાગતી આચારસંહિતા નિવારવા અને વિકાસકાર્યને ગતિ આપવા, સમગ્ર વહીવટ સરળ અને સતત ચાલે, એવા શુભ હેતુ અન્વયે,
નરેન્દ્રભાઈ મોદીજીના “વન નેશન વન ઈલેક્શન” પ્રસ્તાવ પર જનમત કેળવવા, જાણકારી મેળવવા”*પ્રબુદ્ધ નાગરિક સંમેલન*” નું આયોજન કરવામાં આવેલ છે જેમાં જાણીતા પ્રખર વક્તા, મહેશભાઈ કસવાલા (માન. ધારાસભ્ય, સાવરકુંડલા) આ અંગે માર્ગદર્શન આપશે.
સમગ્ર કાર્યક્રમ કાંતિભાઈ અમૃતિયા ( ધારાસભ્ય, મોરબી-માળીયા) વિશેષ ઉપસ્થિત રહેશે
તા. 06.07.2025, રવિવાર, સાંજે 4.00 કલાકે, ઉમા ટાઉનશીપ, મોરબી-2 મુકામે આયોજીત આ સંમેલનમાં પધારવા આપને નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે
સમારોહ સંપન્ન થયે અલ્પાહાર ની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે





