મોરબી જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ યોજાશે.
મોરબી ના જલારામ ધામ સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર તા.૨૮-૭ ના રોજ સાંજે ૬ઃ૩૦ કલાકથી મહાઆરતી ત્યારબાદ ફરાળ મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. શહેર ના તમામ ભક્તજનો ને પધારવા, મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ નો લાભ લેવા સંસ્થા તરફથી જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.





