આહીર સેના મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે ઉદ્ઘાટન સમસ્ત આહીર(યાદવ) સમાજ ગુજરાતના પ્રમુખ તેમજ દાનવીર ભામાશા અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા,આહીર સેના ગુજરાત મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા,આહીર સેના ગુજરાત મોરબી તાલુકા પ્રમુખ રાજેશભાઈ રાઠોડ,આહીર સેના ગુજરાત ટંકારા તાલુકા પ્રમુખ રાહુલભાઈ ડાંગર,આહીર અગ્રણીઓ રાણાબાપા ડાંગર, આપાભાઈ કુંભરવાડીયા,ઉગાભાઈ રાઠોડ,મહેશભાઈ મકવાણા,દેવાભાઈ અવાડિયા,ગિરીશભાઈ ડેર,રાજુભાઈ જીલરીયા,દિનેશભાઈ ચાવડા,અમુભાઈ હુંબલ,ચંદુભાઈ હુંબલ, મુળુભાઈ કુંભરવાડીયા,પ્રકાશભાઈ ચબાડ, પીઆઈ ભોચિયા ,દેવદાનભાઈ ડાંગર,બ્રિજેશભાઈ કુંભરવાડીયા,હકાભાઈ ચાવડા, વાઘજીભાઈ માખેલા, જલાભાઈ રાઠોડ,જયદીપભાઈ બકુત્રા, દેવભાઈ કુંભરવાડીયા,વિજયભાઈ ગજીયા તેમજ કમલેશભાઈ ભેડા ઉપસ્થિત રહ્યા હતા.





