સોરઠના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. આશા એ જણાવ્યું છે કે ઉનાળાની ઋતુ દરમિયાન મેનોપોઝમાંથી પસાર થતી મહિલાઓએ ખાસ કાળજી રાખવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને “હોટ ફ્લેશીસ” જેવી સમસ્યાઓમાં વધારો થતો હોય છે, જેના કારણે અસ્વસ્થતા અનુભવાય છે..
તેમણે સલાહ આપી કે આવી પરિસ્થિતિમાં મહિલાઓએ ઠંડા પાણીનું નિયમિત સેવન કરવું જોઈએ, જેથી શરીરમાં તાજગી જળવાઈ રહે. ઉપરાંત, સુતરાવ કપડાં પહેરવાથી શરીરને ઠંડક મળે છે અને હોટ ફ્લેશીસનો પ્રભાવ ઓછો થાય છે..ડો. આશા વધુમાં કહે છે કે મેનોપોઝ જીવનનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. મહિલાઓએ આ તબક્કાને સકારાત્મક દૃષ્ટિકોણથી સ્વીકારીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી જોઈએ.. વધુમાં તેઓએ જણાવેલ કે યોગ્ય આહાર, નિયમિત વ્યાયામ અને માનસિક શાંતિ જાળવવાથી મેનોપોઝનો સમય વધુ સરળ બની શકે છે…




