જન્મદિવસની ઉજવણી અનોખી રીતે — જીવનનું દિલીપ દલસાણીયા એ ૪૨મું રક્તદાન કરી માનવતાનો સંદેશ

Advertisement
Advertisement
Advertisement

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા દિલીપ દલસાણીયા એ જન્મ દિવસે 42 મી વખત રક્તદાન કર્યું હતું

જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે કેક કાપીને કે શુભેચ્છાઓ સાથે કરવામાં આવે છે, ત્યારે યંગ ઈન્ડિયા ગ્રૂપની “લોહીમાં છે માનવતા” રક્તદાન મુહિમ અંતર્ગત આજે મારા જન્મદિવસ નિમિત્તે જીવનનું ૪૨મું રક્તદાન કરી એક અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે રક્તદાનને માત્ર એક સામાજિક સેવા નહીં, પરંતુ કોઈ અજાણ્યા જરૂરિયાતમંદ વ્યક્તિના જીવનને બચાવવાનું પુણ્યકાર્ય ગણાવી લોકોને નિયમિત રક્તદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી.

રક્તની જરૂરિયાત ક્યારેય કહીને આવતી નથી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ હોય, પ્રસૂતિ દરમિયાન માતાને રક્તની જરૂરિયાત હોય, થેલેસેમિયા જેવા રોગથી પીડાતા દર્દીઓ હોય કે ગંભીર બીમારીમાં સારવાર લઈ રહેલા દર્દીઓ — આવા અનેક લોકો માટે સમયસર મળતું રક્ત જીવનદાતા બની શકે છે.

“રક્તદાનથી શરીરમાં નબળાઈ આવતી નથી, પરંતુ કોઈના જીવનમાં નવી આશા જન્મે છે.”

જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈ શુભ પ્રસંગને માત્ર પોતાની ખુશી પૂરતો સીમિત રાખવાને બદલે રક્તદાન જેવા સેવાકાર્ય સાથે જોડવામાં આવે, તો તે પ્રસંગ ખરેખર યાદગાર બની શકે છે.

યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા ચલાવવામાં આવતી “લોહીમાં છે માનવતા” મુહિમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં નિયમિત અને સ્વૈચ્છિક રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

આ પ્રસંગે સૌને અપીલ કરવામાં આવે છે કે, “તમારું રક્ત કોઈ માટે જીવન બની શકે છે — તેથી સ્વસ્થ અને પાત્ર વ્યક્તિએ નિયમિત રક્તદાન કરીને માનવતાની આ સાંકળને વધુ મજબૂત બનાવવી જોઈએ.”

એક બોટલ રક્ત — કોઈના જીવનની આશા.
ચાલો, લોહીમાં રહેલી માનવતાને સમાજ સુધી પહોંચાડીએ.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW