મોરબી તાલુકાના નારણકા ગામના વતની અને મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીનો આજે જન્મદિવસ છે. તેઓ મોરબીના જાગૃત પત્રકારત્વ તરીકે ફરજ બજાવી લોકોના પડતર પ્રશ્નોને ઈમાનદારી પુર્વક વાચા આપે છે. ત્યારે આજે તેમના 32 વર્ષ પુર્ણ કરી 33માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
જયેશભાઈ કાનજીભાઇ બોખાણીએ યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગ્રેજ્યુએટ કરેલ છે. તેમજ નવયુગ કોલેજમાં L.L.Bનો અભ્યાસ હાલમાં પુર્ણ કર્યો છે. સાથે પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાઈ અનેક વેબ ન્યુઝ તથા ન્યુઝ પેપરોમાં સેવા આપી અને હાલ તેઓ પોઝિટિવ મોરબી ન્યુઝ સાથે જોડાઈ પત્રકારત્વ કરી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સગાં-સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.7621953402 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


