મયુરનગરીકા રાજા, લખધીરવાસ ચોક, મોરબી ખાતે ગણપતિ મહોત્સવ પ્રસંગે 1111 દીવડાની ભવ્ય મહાઆરતી ઉતારીને ગણપતિ બાપા ના ગુણગાન ગાવામાં આવ્યા હતા સાથે સાથે હજારો વર્ષથી આપણો દેશ સામાન્ય બોલચાલ ની ભાષામાં ભારત તરીકે પ્રચલિત છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વફલક પર INDIA ના સ્થાને ‘ભારત’ શબ્દ પ્રયોજવા પર ભાર મૂકી રહ્યા છે ત્યારે 1111 દીવડાઓની સાથો સાથ “ભારત” શબ્દ ની મનમોહક આકૃતિ પણ કંડારવામાં આવી હતી, આમ ધર્મની સાથે સાથે દેશભક્તિ નો સુભગ સમન્વય પણ આયોજન સ્થળે ઉડીને આંખે વળગતો હતો