Thursday, May 1, 2025

મોરબી મહાનગર પાલિકા સંચાલિત મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા જતા યાત્રાળુને આશ્રય આપવામાં આવ્યો

Advertisement
Advertisement

મોરબી: મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહમાં દ્વારકા પગપાળા યાત્રાળુઓને આશ્રય આપવામાં આવ્યો.
રાત્રી દરમ્યાન પામોલ ગામ જી. મહેસાણા થી ૩૦ પદયાત્રિકો દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા યાત્રા દરમ્યાન રાત્રીના ૧૧:૦૦ વાગ્યે મોરબી મહાનગરપાલિકાના મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે રોકાણ કરવામાં આવેલ એ સમયે સંસ્થા સ્ટાફ દ્વારા તેઓને રાત્રી ભોજન કરાવીને આરામ માટે રૂમ ફાળવવામાં આવ્યો હતો આ રીતે સંચાલક ટીમ ના પ્રતિનિધિઓ એ સરકારી વિભાગો ના સુચારૂ સંકલન દ્વારા શ્રી જગતમંદિર દ્વારકા પગપાળા જતા યાત્રીઓનું સ્વાગત કરી રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરી અતિથી દેવો ભવઃ ની પરંપરા નિભાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ,ઓક્ટોમ્બર ૨૦૨૪ થી શરૂ થયેલા મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ (રેન બસેરા) ખાતે ઘર વિહોણા અને નિરાધાર લોકોને આશ્રય સાથે ભોજન, આજીવિકા, હેલ્થ કેમ્પ સરકારી યોજનાઓના લાભો સહિતની સુવિધાઓ માનનીય કમિશનરશ્રી સ્વપ્નિલ ખરે – IAS, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા – GAS ના માર્ગદર્શન હેઠળ તથા મોરબી મહાનગરપાલિકા UCD વિભાગના સહકાર થી સંપૂર્ણ પણે નિઃશુલ્ક આપવામાં આવે છે. જરૂરિયાત મંદ લાભાર્થીઓ શ્રી સિદ્ધિ ખાદી ગ્રામ્યઉદ્યોગ કેળવણી સંસ્થા નો મો.નં.9726501810 પર સંપર્ક કરવા યાદી માં જણાવાયું છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW