Thursday, June 5, 2025

3 જૂન, વિશ્વ સાઈકલ દિવસ મણિભાઈ વી. સરડવાએ મોરબીના યુવાનોને દરરોજ નિયમિત સાઇકલ ચલાવવાના અભિયાનમાં જોડાવા અપીલ કરી

Advertisement
Advertisement
Advertisement

નિયમિત સાઈકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે અને સાથે-સાથે આર્થિક તેમજ પર્યાવરણની દ્રષ્ટિએ પણ લાભદાયી છે

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાઇકલ દિવસ ઉજવવામાં આવે છે, ત્યારે મોરબીના લોકો માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે મોરબીની રોટરીગ્રામ (અ) પ્રા. શાળાના આચાર્યશ અને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિભાઈ વી. સરડવા છેલ્લા ૩ વર્ષથી વહેલી સવારે નિયમિત ૪:૦૦ વાગ્યે ઊઠી ફ્રેશ થઈ ૪:૩૦ કલાકે સાઇકલ લઈને ભક્તિનગર સર્કલથી લીલાપર ગેઇટ સુધી દરરોજ બે રાઉન્ડ લગાવી આશરે ૨૦ થી ૨૫ કિ.મી. સાઇકલ ચલાવી આજના સમયમાં પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે મણિભાઈ વી. સરડવાએ મોરબીના યુવાનોને દરરોજ નિયમિત સાઇકલ ચલાવવાના અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. મણિભાઈ સરડવાએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આજના સમયમાં સાઇકલ ચલાવવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે અને માનવીનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW